આ નિયમ પ્રમાણે તુલસીના છોડ લગાવ્યો હોય તો તમારી દરેક મનોકામના જરૂર પૂર્ણ થશે.

તુલસીને દેવીનો દરજ્જો પ્રાપ્ત છે. તુલસીને આપણે માતા લક્ષ્‍મી ના સ્વરૂપમાં પૂજા કરીએ છીએ. તુલસીનું  માત્ર ધાર્મિક મહત્વનું જ નથી પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવાય તો તુલસી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદા કારક છે. પરંતુ જે લોકો તુલસીના છોડ નીચે આ વસ્તુ રાખતા નથી તેના ઘરમાં ક્યારેય પણ બરકત થતી નથી.તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે.

જો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા આપમેળે જ થઈ જાય છે. એવું કહેવામાં આવે છે કે ઘરના આંગણા અથવા છત પર તુલસીનો છોડ લગાવવાથી આખું વાતાવરણ સકારાત્મક બને છે.જો તમે તૂલસીના છોડની પૂજા કરતા હોય અને નિયમ પ્રમાણે એને લગાવ્યો હોય તો તમારી દરેક મનોકામના જરૂર પૂર્ણ થશે.

આ તુલસી ઘરની નકારાત્મક ઉર્જાને બહાર કાઢે છે. સાથે જ તુલસી લગાવવાથી ઘરમાં આનંદ આવે છે. જે લોકો ઘરે તુલસીનો છોડ રોપતા હોય છે તેને સમયે સમયે પાણી આપવા ઉપરાંત તેની પૂજા પણ કરવી જોઈએ.જો તમે તુલસીનો વિશેષ ઉપાય કરો છો તો તમારા ઘરમાં પૈસાની આવક દસ ગણી વધી શકે છે.આજકાલ આખું વિશ્વ પૈસા પાછળ ભાગી રહી છે.

ઓછા પૈસામાં ઘર પૂર્ણ કરવું ખૂબ મુશ્કેલ છે.એવામાં તમે પૈસાના પ્રવાહને વધારવા માટે આ ઉપાય અજમાવી શકો છો.તુલસી માતા પાસેથી પૈસા મેળવવા માટે તમારે તુલસીના વાસણમાં ચાંદીનો સિક્કો મુકવો પડશે.  જો કે તેને મુકવાના પણ એક સાચી રીત છે જે તમારે અનુસરવી પડે છે. સૌ પ્રથમ બજારમાંથી ચાંદીનો નવો સિક્કો ખરીદો.

હવે શુક્રવારે લક્ષ્મી માના ચરણોમાં આ સિક્કો મૂકો. આ પછી માતા રાણીની સામે બે ઘીના દીવા પ્રગટાવો અને સાથે ચાર અગરબત્તી પણ મૂકી દો. હવે એક દીવો કરીને લક્ષ્મીની આરતી કરો.આ પછી તેમની આગળ મૂકેલી સિક્કાની હળદર, કુમકુમ અને ચોખા વડે પૂજા કરો. હવે બીજો દીવો અને લક્ષ્મીજીની સામે બે અગરબત્તી લઈને અને તેને તુલસી માતાના છોડની સામે મૂકો.

આ પછી ચાંદીનો સિક્કો લો અને તેને તુલસીના વાસણની માટીમાં દફનાવો. તેની ઉપર બે અગરબત્તી મૂકી દયો.એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે તમે જયારે આ કરતા હોય તે વખતે કોઈ જોવું જોઈએ નહીં. ખાસ કરીને ઘરની બહારની વ્યક્તિને આ વાતની ખબર ન હોવી જોઇએ કે તમે વાસણની અંદર ચાંદીનો સિક્કો મૂક્યો છે.

 

 


Posted

in

, ,

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *