ગુરુવારના દિવસે રાખો આ વાતનું ધ્યાન, થઇ શકે છે નુકશાન

માનવામાં આવે છે કે આકાશ મા સ્થિત નવ ગ્રહો મા ગુરુ એ વજન મા સૌથી વધુ ભારે હોય છે. આથી , આ શુભ દિવસે શરીર ને લગતા તથા ઘર ને લગતા અમુક કાર્યો કરવા નુ ટાળવુ જોઈએ. ગુરૂવારનો દિવસેકેટલાક એવા કાર્ય છે, જેન કરવાથી કુંડલીમાં ગુરૂ ગ્રહ કમજોર થાય છે અને જાતકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કારણ કે તેના થી ગુરૂ નુ બળ ઘટે છે અને ગુરૂ નુ બળ ઘટવા થી આપણા શરીર મા તથા ઘર મા તેનો નકારાત્મક પ્રભાવ પડે છે.એવું માનવામાં આવે છે કે ગુરુવારે મહિલાઓએ માથુ ન ધોવું જોઈએ. ઉપરાંત, આ દિવસે પણ તેમના વાળ ન કાપવા જોઇએ. જો તેઓ આમ કરે છે, તો તે તેમની કુંડળીમાં ગુરૂને નબળી પાડે છે, જેના કારણે તેમના લગ્ન જીવનમાં મુશ્કેલીઓ આવે છે.

પતિ અને સંતાનોની પ્રગતિ પણ અટકી જાય છે.ગુરૂવારે કેળાનાં ફળનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે. આ સાથે ગુરૂવારે ઘરમાં વધુ વજનવાળા કપડાં ધોવા, ભંગાર ઘરથી બહાર નીકાળવો, ઘરને ધોવા કે પોતુ લગાવવાથી બાળકો, પુત્રો, ઘરના સદસ્યોની શિક્ષા, ધર્મ સહિત શુભ અસરમાં ઘટાડો થાય છે.ગુરુવાર ના દિવસે કોઈ પુરૂષ કે સ્ત્રી એ વાળ ના કપાવવા.

જો આ દિવસે વાળ કપાવવા થી તમારી પ્રગતિ ના માર્ગ મા તમને ગંભીર મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત ગુરૂવાર ના દિવસે નખ કાપવા થી પણ અશુભ પ્રભાવ પડે છે. શાસ્ત્રો મા ગુરુ ગ્રહ ને જીવ કહેવાયો છે અને જીવ એટલે આયુ. જો ગુરૂવાર ના દિવસ મા આ બધા કાર્યો કરવા મા આવે તો તમારી આવરદા ઓછી થઈ જાય છે.

કેળાના ઝાડની મૂળમાં પાણી ચઢાવવું જોઈએ અને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને ગુરુના 108 મંત્રનો જાપ કરવો જોઈએ.આ કરવાથી જીવન સાથીની શોધ ટૂંક સમયમાં સમાપ્ત થાય છે. લગ્નજીવનમાં આવતી અડચણો દૂર થાય છે.ગુરૂ દેવ માટે પીળો રંગ ખૂબ જ લોકપ્રિય છે. તેઓ પીળા રંગના પીતામ્બાર ધારણ કરે છે. તેથી, તેમની પૂજામાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. ગુરૂવારે કેસર પીળુ ચંદન અથવા હળદરનું દાન કરવું ખૂબ જ શુભ છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ મળે છે.

 


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *