જયારે ભગવાન વિષ્ણુએ પાપોનો નાશ કરવા વાસુદેવ પુત્રના રૂપમાં જન્મ લેવાનો નિર્ણય કર્યો ત્યારે ગૌ લોકમાં રહેતા ગોવર્ધન પર્વત અને યમુના નદીએ પણ તેની સાથે પૃથ્વી પર આવવાનો નિર્ણય લીધો. અમે તમને ર્ક પૌરાણિક કથા દ્વારા ગોવર્ધન પર્વત વિશે જણાવીશું.શ્રીકૃષ્ણએ ગોકુલના રહેવાસીઓને ઇન્દ્રદેવના ક્રોધથી બચાવવા માટે તર્જની આંગળી પર ગોવર્ધન ઉપાડ્યો હતો.
ત્યારથી, આ તહેવારની ઉજવણી કરવાની પરંપરા ચાલુ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, એક સમયે, આ પર્વતની વિશાળ ઊંચાઇ પાછળ સૂર્ય પણ છુપાઈ જતો હતો. પરંતુ આજે તેનું કદ દરરોજ એક મુઠ્ઠીભર જેટલું ઘટી રહ્યું છે.
એવું કહેવામાં આવે છે કે 5,000 વર્ષ પહેલા ગોવર્ધન પર્વત લગભગ 30,000 મીટર ઊંચાઈ ધરાવતો હતો. આજે તેની ઊંચાઈ માત્ર 25-30 મીટર છે. એવું માનવામાં આવે છે કે ઋષિના શાપને લીધે, આજ સુધી પર્વતની ઊંચાઇ ઓછી થઈ રહી છે.
ધાર્મિક દંતકથા અનુસાર, એકવાર ઋષિ પુલસ્ત્ય ગિરિરાજ પર્વત પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ પર્વતની સુંદરતા તેને ખૂબ જ પસંદ પડી હતી. ઋષિ પુલસ્ત્યએ દ્રોણંચલને વિનંતી કરી કે હું કાશીમાં રહું છું અને તમે તમારા પુત્ર ગોવર્ધનને મને આપો. હું તેને કાશીમાં સ્થાપિત કરવા માંગું છું.
આ વાત સાંભળી દ્રોણાચલ ની આંખો થી પાણી નીકળી ગયું. તે સમજી ગયા કે જો એને મુની ને ણા પાડી તો તે ગુસ્સા માં શ્રાપ આપી દેશે અને જો એની વાત માની લેવાઈ તો પુત્ર વિયોગ જોવું પડશે. તે ધર્મ સંકટ માં ફસી ગયા હતા.પછી ભારે મન થી એમણે એમના પુત્ર ને કહ્યું કે બેટા તું પુલત્સ્યજી સાથે ચાલ્યો જા. પુલસ્ત્યે જવાબ આપ્યો કે હું તપોબલ દ્વારા તમને હથેળી ઉપર રાખીને લઈ જઈશ.
માર્ગમાં, જ્યારે બ્રિજધામ આવ્યું તો ગોવર્ધનને યાદ આવ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ બાળપણની લીલા કરી રહ્યા છે. ગોવર્ધન પર્વતે ધીમે ધીમે પુલસ્ત્યના હાથ પર પોતાનું વજન વધારવાનું શરૂ કર્યું, જેના કારણે તેની તપસ્યા ભંગ થવા લાગી.
ઋષિ પુલસ્ત્યએ ત્યાં જ ગોવર્ધન પર્વત રાખી દીધો અને વચન તોડી નાખ્યું. આ પછી ઋષિ પુલસ્ત્યાએ પર્વતને ઉંચકવા માટે ઘણી વાર પ્રયત્ન કર્યો, પરંતુ તે તેને ખસેડી પણ શક્યા નહીં. પછી ઋષિ પુલસ્ત્યે ક્રોધમાં ગોવર્ધનને શ્રાપ આપ્યો કે તમારું વિશાળ કદ દરરોજ ધીમે ધીમે ઘટતું જશે. એવું કહેવામાં આવે છે કે ત્યારબાદ ગોવર્ધન પર્વતની ઊંચાઇ ઓછી થઈ રહી છે.
Leave a Reply