જોવા મળે આવા સંકેત તો થઇ શકે છે પેરાલીસીસ

જ્યારે કોઈપણ અંગની સંવેદના નબળી હોય તો ક્યારેક જીંદગીભરનો વસવસો રહી જાય છે. પેરેલિસિસ એ મગજનો એક ગંભીર રોગ છે જેના મુખ્યત્વે બે પ્રકાર છે.80 % સ્ટ્રોક ઇસ્કેમિક હોય છે જેમાં મગજમાં લોહી પહોંચાડતી નળીમાં લોહીનો ગઠ્ઠો થવાથી સતત વહેતા લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે અને તરત જ લકવાના લક્ષણો દેખાય છે. બાકીના 20% માં હેમરેજિક સ્ટ્રોક હોય છે જેમાં મગજમાં લોહીની નળી ફાટવાથી હેમરેજ થાય છે.આપણા શરીરના ‘સ્નાયુ’ શરીરનું એક ખૂબ અગત્યનું અંગ છે.

જેનાથી આખા શરીરનું હલનચલન થાય છે. સ્નાયુ અને સાંધા ના હલનચલનનો કંટ્રોલ માનવ શરીરની નર્વસ સિસ્ટમ ઉપર છે. આ નર્વસ સિસ્ટમથી સ્નાયુને અને સ્નાયુ તરફથી નર્વસ સિસ્ટમને સંદેશાની આપણે સતત થયા કરે છે. આ કામ નર્વસ સિસ્ટમના ‘ન્યુટોન’ નામના કોષથી થાય છે. કાંઈપણ કારણથી નર્વસ સિસ્ટમના ‘ન્યુટોન’ને ચેપ લાગે અથવા ઈજા થાય ત્યારે તેની અસર સ્નાયુ અને સાંધા ઉપર થાય અને તે વખતે સ્નાયુના હલનચલન પર અસર પડે. આ બધા સ્નાયુને અસર થાય તેને ‘લકવો’ અથવા પેરાલીસીસ કહેવાય.

પેરેલિસિસના હુમલો આવતા ચહેરો ત્રાંસો થવો, એક બાજુનાં હાથના હલનચલનમાં તકલીફ થવી, એક બાજુના પગમાં નબળાઈ અને ચાલવામાં તકલીફ, બોલવામાં તકલીફ જેમકે જીભ જાડી થવી, અસ્પષ્ટ ઉચ્ચારો, ચાલવામાં બેલેન્સ ના રહેવું, ખોરાક ગળવામાં તકલીફ પડવી વગેરે છે. આમાંથી કોઈ પણ લક્ષણ અચાનક થાય તો તરત જ 108 બોલાવીને નજીકની હોસ્પિટલમાં દર્દીને લઈ પહોંચવું જરૂરી છે.મુખ્ય કારણ વજન વધારે હોય તે ઓછું કરવું.

તમારી રોગપ્રતિકારક શક્તિ વધારો, હિમોગ્લોબીન સારું રાખો, ચેપ ના લાગે માટે કસરત નિયમિત કરો, બ્લડપ્રેશર કાબુમાં રાખો, વારસાગત ડાયાબીટીસ માટે ખોરાકમાં ખાંડ બંધ કરો, સ્ત્રીઓ ગર્ભનિરોધ ગોળી લેવાની બંધ કરો, લોહીમાં કોલેસ્ટ્રોલ વધે નહીં તેવો ખોરાક લેશો.તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ વાયુ પ્રદૂષણથી પણ પક્ષઘાતનું જોખમ રહેલું છે. વાયુ પ્રદુષણને કાબૂમાં રાખવું એ જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ બને છે. જો વધારે પડતો એસીડીક તત્વો નું સેવન કરીએ તો એસીડ ની માત્રા વધી જાય છે.

જે ધમનીઓ ના પ્રવાહ માં લોહી વહેતુ અટકાવે છે અને જેના કારણે પણ પેરેલીસીસ થઈ શકે છે.લાલ મરચાં, ગોળ-ખાંડ, કોઈપણ અથાણું, દહીં, છાશ, એસીડીક ખોરાક, અળદ દાળ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ફળ માત્ર પપૈયું અને ચીકુ જ લેવુ, અન્ય તમામ ફળ ન ખાવા જોઈએ. પ્રારંભિક દિવસોમાં કોઈપણ માલીશ ટાળો. જ્યાં સુધી પીડિત ઓછામાં ઓછા 60% તંદુરસ્ત ન થાય ત્યાં સુધી કોઈ માલીશ ન કરો.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *