કેન્દ્રીયમંત્રી શહીદ જવાનના બદલે જીવિત સૈનિકના ઘરે પહોંચી ગયા શ્રદ્ધાંજલિ આપવા, પછી થયું કંઇક આવું…

કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી એ નારાયણસ્વામી ગુરુવારે શ્રદ્ધાંજલિ આપવા માટે શહીદ જવાનના બદલે જીવતા જવાનના ઘરે પહોંચ્યા. તેમણે જવાનના પરિવારના સભ્યોને સરકારી નોકરી અને જમીન આપવાની પણ જાહેરાત કરી હતી.

સ્થાનિક નેતાઓ દ્વારા આપવામાં આવેલી ખોટી માહિતીના કારણે આવું થયું છે. તાજેતરમાં નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી બનેલા નારાયણસ્વામી તેમની જન આશિર્વાદ યાત્રાના ભાગરૂપે ગાડગ જિલ્લામાં હતા.

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય મંત્રીને એક વર્ષ પહેલા પુણેમાં પોતાનો જીવ ગુમાવનાર બસવરાજ હિરેમઠને બદલે હાલમાં જમ્મુ -કાશ્મીરમાં તૈનાત જવાન રવિકુમાર કટ્ટીમાનીના ઘરે લઈ જવામાં આવ્યા હતા.

મંત્રીના પ્રવાસ મુજબ, તે મૃતક જવાનના પરિવારને મળવાના હતાં અને તેમને સાંત્વના આપવાના હતાં નારાયણસ્વામી સાંસદ શિવકુમાર ઉદાસી સાથે મુલગુંડ વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં તેમને કટ્ટીમાનીના ઘરે લઈ જવામાં આવ્યા. આથી જવાનના પરિવારના સભ્યોને આઘાત લાગ્યો.

જ્યારે મંત્રીએ સરકારી નોકરી અને જવાનના પરિવારના સભ્યને જમીન આપવાની જાહેરાત કરી ત્યારે તેઓ ચોંકી ગયા હતા. બાદમાં ભાજપના સ્થાનિક કાર્યકરે કટ્ટીમાનીને વીડિયો કોલ કર્યો અને મંત્રી સાથે વાત કરાવી.

સૂત્રોએ જણાવ્યું કે જ્યારે નારાયણસ્વામીને તેમની ભૂલ વિશે ખબર પડી ત્યારે તેમણે પરિસ્થિતિને સંભાળવા માટે જવાનની પ્રશંસા કરી અને તેના પરિવારનું સન્માન કર્યું. ત્યારે કેન્દ્રીય મંત્રીએ આ પરિસ્થિતિ માટે ભાજપના સ્થાનિક નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

જો કે, મંત્રીએ બાદમાં શહીદ જવાન હિરેમથના ઘરની મુલાકાત લીધી ન હતી. તેની માતાએ ભાવુક થઈને કહ્યું, ‘અમારા ઘરમાં કોઈ આવ્યું નથી. એવું કહેવામાં આવ્યું કે મંત્રી એક જવાનના ઘરે ગયા જે જીવિત છે. મારે મારો દીકરો પાછો જોઈએ છે.’


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *