મહિલાઓ પીરીયડ્સમાં હોય તે સમયે પેટમાં વધુ પડતો દુ:ખાવો થાય છે. જે માસિકચક્ર ચાલુ જ રહે છે. એમાં અમુક લોકોને અનિયમિત માસિકસ્ત્રાવ આવે છે જેના કારણે ઘણી સમસ્યા થાય છે. માસિક ચક્રમાં અનિયમિતતા વજન વધવાનું કારણ બની શકે છે. અનિયમિત પીરિયડ્સમાં સ્ત્રીઓનું માસિક એક કે બે મહિનામાં માત્ર એકવાર અથવા એક મહિનામાં બે-ત્રણ વાર થવાની સમસ્યા સર્જાય છે. આજે અમે તમને એવી વસ્તુ વિશે જણાવીશું જે તમને અનિયમિત માસિકને નિયમિત કરવામાં મદદ કરે છે. તો ચાલો જાણી લઈએ એ સુપરફૂડ વિશે..
આદુનો સમાવેશ આહારમાં કરવામાં આવે તો માસિક સ્રાવની અનિયમિતતા ઓછી થાય છે. પીરિયડ્સ લાવવા માટે મધ સાથે આદુ મિક્સ કરીને એક ચમચી પી શકાય છે. માસિક સ્રાવમાં અનિયમિતતાના સમય માં પૂરતા પ્રમાણમાં આદુનું સેવન કરવું જોઈએ.
માસિક સ્રાવને પ્રેરિત કરવા માટે વિટામિન- સી થી ભરપુર ખોરાક ફાયદાકારક હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, પપૈયા એક એવું ફળ છે જેમાં કેરોટિન હોય છે,જે એસ્ટ્રોજન હોર્મોન ને ઉત્તેજિત કરી શકે છે. પાઈનેપલ ને વિટામિન સી નું ફળ માનવામાં આવે છે,જે બળતરા ઘટાડવામાં મદદગાર છે. લીંબુ, કીવી અને નારંગી પણ અનિયમિત સમયગાળા માટે સારા છે.
ગોળનું સેવન માસિક સ્રાવ માટે સારું માનવામાં આવે છે. તેને તલ, હળદર થી એક ગ્લાસ ગરમ પાણીમાં ચાવી શકાય છે. તેને નિયમિતપણે લેવાથી માસિક સ્ત્રાવ અટકાવી શકાય છે અને સમયથી પહેલાં પણ લાવી શકાય છે.
હળદર ગર્ભાશયમાં લોહી ના પ્રવાહને ઉત્તેજીત કરી શકે છે.શરીર પર એન્ટિસ્પાસોડિક અસર છે જે ગર્ભાશયને વિસ્તૃત કરવા માસિક સ્રાવને પ્રેરિત કરે છે. માસિક સ્રાવ ની અનિયમિતતા ઘટાડવા માટે હળદરનું દૂધ પીવામાં આવે છે.
બીટમાં આયર્ન, કેલ્શિયમ અને ફોલિક એસિડ હોય છે. તે પાણીની ખોટ અને બળતરા ઘટાડવામાં મદદગાર છે. માસિક સ્રાવમાં આ એક સામાન્ય સમસ્યા છે, તેથી ખોરાક માં બીટનો છોડ ઉમેર્યો છે. આ પીરિયડ્સ આવવામાં મદદ કરે છે.
Leave a Reply