કોઈપણ દાળ અથવા શાકભાજી બનાવતી વખતે તેમાં ડુંગળી ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે.પરંતુ શું તમે જાણો છો કે ડુંગળી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છેડુંગળીનો જ્યુસ પીવું સ્વાસ્થ્ય માટે ઘણું ગુણકારી માનવામાં આવે છે.ડુંગળીમાં મેગ્નેશિયમ, એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી-એલર્જિક, એન્ટી-ઑક્સીડેન્ટ અને એન્ટી-કાર્સિનોજેનિક ગુણ હોવાથી તેનો રસ કેટલીય બીમારીઓથી બચવાનું કામ કરી શકે છે.
ડુંગળીને વાળની સમસ્યાથી લઇને બ્લડ પ્રેશર જેવી ગંભીર સમસ્યાઓમાં પણ અસરકારક માનવામાં આવે છે. અમે તમને ડુંગળીનો રસ કેવી રીતે ફાયદાકારક છે એના વિશે જણાવીશું. તો ચાલો જાણી લઈએ ડુંગળીથી થતાં ફાયદાઓ વિશે.ડુંગળીનો રસ બનાવવા માટે 3 ડુંગળી લો. તેના છોતરા નીકાળીને ધોઇ લો. હવે ડુંગળીને મિક્સરમાં ક્રશ કરી લો. તે બાદ તેમાથી ડુંગળીનો રસ ગાળી લો.
ડુંગળીના રસના ફાયદા
- ડુંગળીમાં હાજર મેગ્નેશિયમની માત્રા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે ખૂબ મદદગાર માનવામાં આવે છે. તેથી, બ્લડ પ્રેશર માટે ડુંગળીનો રસ વધાર્યો છે તે પ્રથમ સહાય તરીકે લઈ શકાય છે.
- પીરિયડ દરમિયાન થતી સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં ડુંગળી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ડુંગળીના જ્યુસને એનર્જી માટે પણ સારું માનવામાં આવે છે.
- ડુંગળી અથવા ડુંગળીનો જ્યુસ પીવાથી દાંતના દુખાવાથી છૂટકારો મળી શકે છે.
- ડુંગળીનો ઉપયોગ ત્વચાની બળતરા ઘટાડવા માટે પણ કરી શકાય છે. ડુંગળીના રસમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરીનું પ્રમાણ તરત જ લોહીમાં ઓગળી જાય છે અને તે શરીરમાં બળતરા અસરગ્રસ્ત વિસ્તારને મટાડવા માટે ખૂબ જ ઝડપથી કામ કરે છે.
- ડુંગળીનો જ્યુસ પીવાથી ઈમ્યૂનિટીને મજબૂત બનાવી શકે છે. ઈમ્યૂનિટી સીઝનલ સંક્રમણથી બચવાનું કામ કરે છે. ઈમ્યૂનિટી કમજોર થવાથી આપણે સીઝનલ સંક્રમણની ચપેટમાં આવી શકીએ છીએ.
Leave a Reply